હાલ વાવાઝોડાને પગલે ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એસટીના પૈડાં થંભાવી દેવાયા હતા
મોરબી : હાલ વાવાઝોડાનો ખતરો જોતા મોરબી એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને લાંબા અંતરની કવાંટ,અંબાજી અને દાહોદ રૂટની બસના પૈડાં થંભાવી દીધા બાદ આ તમામ રૂટ રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.
મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વાવાઝોડાનો ખતરો જોતા મોરબીથી ભાવપર, માળીયા, જામસર, ચમનપર અને ઘાટીલા નાઈટ સહિતના ગ્રામ્ય રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવાંટ, અંબાજી અને દાહોદ રૂટને પણ સલામતી ખાતર અટકાવી દેવામાં આવ્યા હતા.
દરમિયાન વાવાઝોડાનો ખતરો જોતા મોરબી ડેપો દ્વારા ફરી તમામ ગ્રામ્ય રૂટ અને લાંબા અંતરની એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હોવાનું મોરબી એટીઆઈ દ્વારા જણાવાયું હતું.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...