હળવદ: સુખપરમાં મહિલાએ બીમારીથી કંટાળી એસિડ ગટગટાવ્યું

0
39
/

હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામમાં રહેતી એક મહિલાએ એસિડ પીને આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ હળવદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

સુખપર ગામમાં રહેતા ધીરૂભાઇ દાનુભાઇ જાદવના પત્ની જશુબેનને હૃદયની બીમારી હતી. તેઓએ બીમારીથી કંટાળીને ગત તા. 25ના રોજ હદયની પોતાના ઘરે એસીડ (ટોઇલેટ કલીનર) પી લીધું હતું. તેથી, તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગઈકાલે તા. 27ના રોજ પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/