[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ વીરાભાઈ ને સાંથણી માં મળેલ હાલ સદરહુ જમીન તેમના વારસદારોના ખાતે હોઈ પરંતુ સદરહુ જમીન તેમના વારસદારો એ માપણી કરાવેલુ ન હોઈ તેથી સદરહુ સવાલ વાળી જમીન ની માપણી કરી લેવા અને માપણી મુજબ જે ક્ષેત્રફળ થાય તે પ્રમાણે રેવન્યુ રેકર્ડ માં કરવા અંગે શ્રી કલેકટર સાહેબે મામલતદાર ને સુચના કરેલ પરંતુ તે મુજબ ની માપણી કરાવેલ ન હોઈ કે તે અંગે ની રેવન્યુ રેકર્ડ માં કોઈ ફેરફાર નોંધ થયેલ ન હોઈ તેમ છતા સ્વ.બીજલભાઈ વીરાભાઈ ના વારસદારો ૧.નાગજીભાઈ બીજલભાઈ જાદવ ૨.ભાવનાબેન બીજલભાઈ જાદવ તથા ૩.હિતેશભાઈ બીજલભાઈ જાદવ ના એ તા.૧૮-૭-૨૦૨૫ ના રોજ રજી.દ.અનુ.નં. ૧૮૫૯/૨૦૨૫ ના દસ્તાવેજ થી ૧.હિરેનકુમાર હરજીભાઈ સાવરીયા તથા ૨.પ્રવિણભાઈ દેવશીભાઈ બારૈયા ને અઘાટ વેચાણ આપેલ સદરહુ દસ્તાવેજ માં સાંથણી માં મળેલ જમીન ના રોજકામ માં દર્શાવેલ ચતુરદીશા થી વિરૂધ્ધ પ્રકારની ચતુરદીશા દર્શાવેલ હોય તેમ છતાં રેવન્યુ રેકર્ડ માં ગામ નમુના નં-૬ ના હકક પત્રક માં નોંધ નં-૧૧૪૧૫ થી નોંધ પાડેલ જેમા શ્રી ભુપેદ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયા એ વાંધા અરજી રજુ કરતા સદરહુ નોંધ તકરારી નોંધ તરીકે નાયબ કલેકટર શ્રી-મોરબી સુશીલ પરમાર સાહેબ સમક્ષ તકરાર ચાલતા વાંધેદાર ના વિદ્વાન વકીલ શ્રી નિકુંજ પુનમચંદભાઈ કોટક ની દલીલ ગ્રાહય રાખી નાયબ કલેકટર શ્રી સુશીલ પરમાર સાહેબે સદરહુ નોંધ રદ/ના મંજુર કરવા નો હુકમ કરેલ છે વાંધેદાર ભુપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયા તરફે વિદ્વવાન વકીલ શ્રી નિકુંજભાઈ કોટક, તથા તેમના જુનીયર શ્રી હાર્દિકભાઈ ગોસ્વામી, શ્રી હિરેનભાઈ ગોસ્વામી, શ્રી વિશાલભાઈ ચાવડા, શ્રી સંજયભાઈ ભાગ્યા તથા શ્રી કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















