[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ આસામીઓ સામે હવે મિલ્કતો સીલ કરવી, જપ્તી તેમજ હરરાજીની કાર્યવાહી માટે વોરંટ ઈશ્યુ કરવા તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી શહેરમાં નાગરિકો મિલ્કત વેરો-પાણી વેરો અને વ્યવસાય વેરો ભરવાની દરકાર લેતા ન હોવાથી મોરબીનો વિકાસ રૂંધાવાની સાથે સ્વભંડોળના કામો અટકી પડયા છે ત્યારે નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતા જ બાકી મિલ્કત વેરો વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરવા નક્કી કરી એક લાખથી વધુની બાકી વેરો નહીં ભરનાર અસામીઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















