કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

0
35
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે.

ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ સેન્ટર કાર્યરત કરવાની સહમતી સધાઈ હતી. જો કે આજ સાંજ સુધીમાં કઈ કઈ જગ્યાએ એ કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ થશે એની વિગતો જાહેર થવાની સંભાવના છે. ત્યારે ઘુંટુ ખાતે બંધ કરાયેલું કોવિડ કેર સેન્ટર ગુરુવારે સાંજથી જ પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં એક દર્દીને દાખલ પણ કરાવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘૂંટુ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા પણ ઉપલબદ્ધ રખાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/