ગાય અને બે વાછરડીને નવજીવન આપતી 1962 હેલ્પલાઇન ટીમ

0
229
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં ઘવાયેલા એક ગાય અને બે વાછરડીને 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું.

ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક આગ લાગી હતી. આ આગનો ભોગ પશુઓ બન્યા હતા. ત્યારે તે જગ્યાએથી પસાર થતી ખીલખીલાટ એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરતા પશુ હેલ્પલાઇન ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આગની દુર્ઘટનામાં એક વાછરડીનું મૃત્યુ થયું હતું. તેમજ એક ગાય અને બે વાછરડી ઘવાયેલી હાલતમાં હતા. તેઓને પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આથી, ત્રણ ગૌમાતાઓના જીવ સારવારથી બચી ગયા હતા. આમ, 1962 હેલ્પલાઇનમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/