હળવદના ચૂપણી ગામે આત્મહત્યા કરવા મજબૂર કરનારનો નિર્દોષ છુટકારો

0
1
/

[રિપોર્ટ: મયુર બુધ્ધભટ્ટી]  પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે તા.૨૫/૧૦/૨૦૧૮ ના કલાક ૧૧.૦૦ વાગ્યે આ કામના ફરીયાદીની દીકરી હેતલબેનનાં આરોપી નં. (૧) અનીલભાઈ ગોવિંદભાઈ મકવાણા પતિ થતાં હોય અને આરોપી નં.(૧) તથા આરોપી નં.(૨) નાઓ સાથે લગ્ન બહારનાં જાતીય સબંધ હોય જે આ કામનાં મરણજનારને જાણ થતાં આરોપીઓને આ આડા સબંધ ન રાખવા જણાવતાં આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી આરોપી જાગૃતી કાળુભાઈએ આરોપી અનિલભાઈને ચડામણી કરી ઝગડાઓ કરી મરણ જનારને નાની નાની બાબતે મેણા ટોણા મારી અસહય માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં આરોપીઓ તરફથી આપવામાં આવતો માનસીક તથા શારીરીક ત્રાસ મરણજનાર ફરીયાદીની દીકરીથી સહન નહી થતાં બન્ને આરોપીઓએ હેતલબેનને મરણ જવા મજબુર કરતા હેતલબેને પોતાનાં ઘરે બાથરૂમમાં આખા શરીરે કેરોસીન છાંટી સળગી જતા મરણ જતાં બન્ને આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.

આ કામના ફરીયાદનાં આધારે હળવદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૦૬,૪૯૮(એ), ૧૧૪ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.સદરહુ કેસ મોરબીનાં બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાનાં સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીવાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાનાં અંતે આરોપીનાં વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં એવી દલીલ કરેલ કે ગુજરનારને સતત અને એકધારો દુખ-ત્રાસ હોય અને મરવા સીવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તોજ આ સેકસન નીચે ગુનો બને અને વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી એ ધારદાર દલીલ કરેલી.

બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/