હળવદ: બ્રાહ્મણી-2 (શક્તિ સાગર) ડેમનો દરવાજો અડધો ફૂટ જેટલો ખોલાયો

0
26
/
હળવદમાં 5 દિવસમાં 4 ઈંચ વરસાદ પડ્યો : બ્રાહ્મણી ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું

હળવદ : હાલ હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો આજે સવારના ૭ વાગ્યાથી અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણવાળા આઠથી વધુ ગામોને નદીના પટમાં ન જવા સૂચનાઓ આપવામાં આવી છે.

હળવદમાં બ્રાહ્મણી-૨ ડેમમાં ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલથી પાણી ભરવામાં આવી રહ્યું છે. આ ડેમની ૧૮ ફૂટની સપાટી હોય, જેમાં રૂલ લેવલ ૧૨.૬૩ (આર.એલ-૪૩.મી) જાળવવાનું હોય. જેથી નર્મદા કેનાલના ઈન્ફલો સામે ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦૦ ક્યુસેક પાણીની આવક છે. જેની સામે ૪૩૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસના આઠ જેટલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/