હળવદના રણમલપુરના 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

0
75
/

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ

મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર ગામના 50 યુવાનો આપમાં જોડાતા તેઓને આવકારવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવી જોડાતા સદસ્ય જોડો અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ છે. જેમાં આજે મોરબી શહેર ખાતે તેમજ હળવદ તાલુકાના રણમલપુર ગામ ખાતે ૫૦ યુવાનોએ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ બદલાવની રાજનીતિમાં કદમ રાખેલ હતા જેમા મોરબીની ટિમ માથી ગોકળભાઇ ભરતભાઈ બારોટ, હળવદ તાલુકા પ્રમુખ દામજીભાઈ રાજપૂત, મહામંત્રી વિપુલભાઈ તેમજ જયદેવસિંહ જાડેજાની હાજરીમાં યુવાનોએ ખેસ પહેરેલ હોવાનું આપની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/