મોરબી જિલ્લામાં 209085 હેકટરમાં વાવેતર પણ અતિવૃષ્ટિથી મોટાભાગના ખેતરો ધોવાયા : ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાની અંગે સર્વે હાથ ધરાયો
મોરબી : મોરબી જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ઓણસાલ વાવેતર તો સારું થયું છે પણ અતિવૃષ્ટિથી મોટી નુકશાની થઈ છે. ખાસ કરીને 45 ગામોમાં ખતરોમાં ધોવાઈ જતા પાક બળી જવાથી મોટી નુકશાની થઈ છે. જ્યારે જિલ્લાના અનેક ગામોમાં પુરના પાણી ફરી વળતા ખેતરો ધોવાઈ જવાથી ભારે તારાજી થઈ છે. જેથી ખેતરોમાં થયેલી નુક્શાનીનો સાચો તાગ મેળવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ચાલુ સાલ ચોમાસામાં થેયલ વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ મોરબી જિલ્લાના કુલ 335899 હેકટર વાવેતર વિસ્તારમાંથી 209085 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાંથી સૌથી વઘુ 186147 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે અને મગફળીનું 41264 હેકટર તેમજ તલનું 11503 હેકટરમાં વાવેતર થયું છે.બાકીના પાકોનું પણ સારું વાવેતર થયું છે પણ અતિવૃષ્ટિથી નુકશાનીનો આક બહુ મોટો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.જેમાં જિલ્લાના 45 ગામોમાં સૌથી મોટી નુકશાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે.મોરબી, માળીયા,ટંકારા અને આમરણ ચોવીસીના મળીને કુલ 45 ગામોના ખેતરો પુરમાં ધોવાઈ જતા પાક નાશ પામ્યો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide














Comments are closed.