મોરબીમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ: દેકારો

0
37
/

મોરબી : આજે મોરબીમાં અત્યારે રાત્રીના સમયે બીએસએલએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

જેને પરિણામે બીએસએનએલના સીમકાર્ડ ધરાવતા મોબાઈલનો સંપર્ક થઈ શકતો નથી. નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકોમાં દેકારો મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ઉમિયા સર્કલ પાસે બીએસએનએલનો ઓપ્ટિકલ ફાયબર ડેમેજ થઈ ગયો હોય જેથી આ સમસ્યા સર્જાય છે. જો કે બીએસએનએલના અધિકારીઓ પણ બીએસએનએલના સીમકાર્ડ યુઝ કરતા હોય તેઓનો સંપર્ક થઈ શકેલ નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/