મોરબી: આંગણવાડી વર્કરોને કોરોના કાળમાં રૂ.300 નું દૈનિક ભથ્થું ચૂકવવા કલેક્ટરને રજુઆત

0
21
/

આજે મોરબી અને વાંકાનેરના આંગણવાડી તેમજ આશાવર્કર બહેનોએ ફરી પડતર પ્રશ્ને આવેદનપત્ર આપ્યું

મોરબી : લાંબા સમયથી આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો અધ્ધરતાલ છે. ખાસ કરીને સરકાર દ્વારા આશાવર્કર અને આંગણવાડી વર્કર બહેનોના વેતન પ્રશ્ને અન્યાય કરવામાં આવતો હોવાની લાંબા સમયથી ફરિયાદ છે. તેમાંય હવે કોરોના કાળમાં આ વર્કર બહેનોની જવાબદારી વધી છે. પણ કોરોના કાળમાં પણ તેઓને દૈનિક ભથ્થું પૂરતું ચૂકવાતું નથી. આથી મોરબી અને વાંકાનેરના આંગણવાડી તેમજ આશાવર્કર બહેનોએ 300 દૈનિક ભથ્થું ચુકવવાની ફરી માંગ ઉઠાવી પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ મોરબી અને વાંકાનેરની આંગણવાડી વર્કર બહેનોએ કલેક્ટર આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, લાંબા સંયમથી આરોગ્યની કામગીરી કરતા આંગણવાડી કર્મચારીઓના વેતન વધારવા સહિતના પડતર પ્રશ્ને ભારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં કોરોના કાળમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. એ દરમિયાન અનેક બહેનો કોરોનાથી સંક્રમિત થઈ છે અને આઠ જેટલી બહેનોના કોરોનાને કારણે થયા છે. છતાં આ બહેનોને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું નથી. કોરોના કાળમાં દરેક નોકરિયાતને દૈનિક 300 રૂપિયાનું ભથ્થું ચૂકવવામાં આવે છે. પણ આંગણવાડી બહેનોને આ લાભ આપતો નથી. આથી આંગણવાડી વર્કરોને પણ અન્ય સરકારી કર્મચારીઓની જેમ તમામ લાભો આપવાની માંગ કરી છે અને કોરોના કાળમાં આ વર્કર બહેનોને રૂ.300 નું દૈનિક ભથ્થું ચુકવવાની માંગ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/