જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન

0
17
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ તારીખ 17 ડિસેમ્બરે જંત્રી, સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના વધારા મામલે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના હોદ્દેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગુજરાતભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સ કે જેના લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન એક સ્વપ્ન રહે એવી પરિસ્થિતિ થઈ રહી છે આ વધારાના હિસાબે દસ્તાવેજની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે. તો આ તમામ મુદ્દાઓની રજૂઆત કલેકટરને કરવામાં આવી અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/