મોરબી જિલ્લામાં મંજૂરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને એકત્રિત થવા પર પ્રતિબંધ

0
85
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: ચાલુ માસમા મોરબી જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સભા,  સરઘસ,  આંદોલન, રેલી ન થાય તેમજ મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી, કેતન.પી.જોષી દ્વારા જાહેરનામુ બહાર પડાયું છે.

આ જાહેરનામા અનુસાર સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહીં અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે. આ જાહેરનામાનો અમલ તા.૦૧-૦૬-૨૦૨૦ થી તા.૩૦-૦૬-૨૦૨૦ સુધી રહેશે

આ જાહેરનામાનો સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિ કે સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને કે સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/