મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

0
128
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપમાં ભારે હરખની હેલી જોવા મળી હતી.

આજે ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નબર-14માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા અને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મહાઆરતી, દાંડીયા રાસ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/