મોરબી: બુધવારે આ વિસ્તારોમાં વીજ કાપ રહેશે

0
1
/

મોરબી : વિગતો મુજબ આવતીકાલે તારીખ 22 મે ને બુધવારના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોવાથી PGVCl ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડર સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ વિસ્તારોમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/