મોરબી સિરામીક એસોશિએશનના પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાનું રાજીનામુ

0
183
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સતત ત્રણ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા નિલેશભાઈએ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કર્યું

હાલ નિલેશભાઈએ એસોશિએશનના બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું : ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત

મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન ધરાવતા મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા અને પ્રતિષ્ઠાભર્યા મોરબી સિરામીક એસોશિએશનના વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદેથી આજે નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામુ ધરી દઈ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કરતા સિરામીક જગતમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. જો કે, ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે નિલેશભાઈએ બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું છે અને તેમનો સાથ સહકાર હંમેશા મળતો રહેશે તેવું જણાવ્યું હતું.

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામાં અંગે મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 31 માર્ચે પ્રમુખ તરીકે મુદત પૂર્ણ થઈ રહી હોય સ્વૈચ્છીક રીતે જ રાજીનામુ આપ્યું છે જેથી નવી યુવા પેઢીને સ્થાન મળી શકે, ઉપરાંત નિલેશભાઈએ ગેસ, એક્સપોર્ટ, એન્ટી ડંપિંગ ડ્યુટી સહિતની તમામ બાબતો માટે હર હમેશ જાગૃત બની સક્રિયપણે એસોસિએશનને સાથ સહકારની ખાતરી આપી હતી.

નિલેશભાઈના રાજીનામાં અંગે એસોસિએશનના ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે, એસોસિએશનના બંધારણ મુજબ ત્રણ ટર્મ સુધી જ પ્રમુખ રહી શકાતું હોય નિલેશભાઈએ 15 દિવસ આગાઉ રાજીનામુ આપ્યું હતું જે કમિટીએ તા.13ના રોજ મંજુર કર્યું છે અને હરહંમેશ એસોસિએશનને નિલેશભાઈનો સાથ સહકાર મળતો રહેશે તેમ ઉમેર્યું હતું.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]
નિલેશભાઈ જેતપરિયાએ આપેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી તમે મને પ્રમુખ તરીકે જે રીતે બિનહરીફ ચુંટીને તમારી લાગણી વ્યકત કરી તે બદલ હું તમારો આભારી અને રૂણી છુ. મે જ્યારે પહેલી વખત પ્રમુખની જવાબદારી સંભાળેલ ત્યારે મે કહેલ કે જે રીતે હિન્દુ રાજાઓ રાજ્યાભિષેક કરતા તેવી રીતે આપણે પ્રમુખમા બીજાને બેસાડીશુ. આ સાથે જ આગામી સમયમા મારો કાર્યકાળ પુરો થાય છે અને મારી અંગત જવાબદારીઓને કારણે હવે મારે આગળ સ્વૈચ્છિક રીતે કાર્યકાળ પુરો કરીને આ જવાબદારીમાથી નિવૃત થવુ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/