આ દશેરાએ સદભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ જેવા રાવણનું દહન કરવું જોઈએ : સંજય શેઠ

0
563
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: એક નહિ અનેક નિર્દોષ જિંદગીઓને સારવારના નાટક કરી મોત ના મુખમાં ધકેલનાર મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ જેવા રાવણો નું દહન કરવું જરૂરી છે તેવું સંજયભાઈ શેઠ દ્વારા સોશ્યલ મીડિયા મારફતે જણાવે છે.

નોંધનીય છે કે છેલ્લા થોડા સમય પહેલાજ મીડિયા પરિવારના મોભી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટી ને કોરોના સારવાર માટે સદભાવના હોસ્પિટલમાજ દાખલ કરેલ હતા જેમની યોગ્ય સારવાર કરવાને બદલે વેન્ટિલેટર સમયસર ન આપી તેમને મોત ના મુખમાં ધકેલી દીધા હતા જે ઘટના ની શાહી પણ હજી સુકાણી ન હતી ત્યાંજ વધુ એક કિસ્સામાં મોરબીના સંજય કેટર્સ વાળા સંજયભાઈ શેઠ ના માતૃશ્રી દયાબેન શેઠ ને પણ કોરોના ની સારવાર માં નર્યા ડિંડક કરી તબિયત સુધારવાને બદલે બગાડી નાખી હતી અંતે સંજયભાઈ તેમના માતૃશ્રીને ઘરે લઇ આવી સારવાર આપેલ હતી ત્યારે મોરબીની જનતાએ હવે આવા લેભાગુ ડોકટરો થી ચેતી જવાનો સમય હવે આવી ગયેલ છે.

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ સાથે આપેલ એક ઇન્ટરવ્યૂ માં તેમને પોતાનો આક્રોશ  ઠાલવ્યો હતો  જુઓ VIDEO…

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/