મોરબી : હાલ મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભૂલથી બે લાખ બીજાના ખાતામાં જમા કરી દીધા હતા. સામે સુરેન્દ્રનગરના વેપારીના ખાતામાં અચાનક બે લાખ જમા થઈ ગયા બાદ તેઓએ પ્રમાણિકતા દાખવી બે લાખ જમા કરાવનાર મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ઓળખ મેળવી તેમને તેમના પૈસા સુપ્રત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે.
મોરબીના શિવાય રોડલાઇન્સ કુ. નામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા બિમલ પટેલે તા.4 ના રોજ 2 લાખ રૂપિયા ભૂલથી સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના અશ્વિનભાઈ શેખાભાઈ કલોત્રાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. અશ્વિનભાઈ બીમાલભાઈને ઓળખતા ન હોવા છતાં પોતાના વ્યવસાયના સાથી કનુભાઈ પાલનપુરવાળાને જાણ કરી કે મારા ખાતામાં કોઈ શિવાય રોડલાઇન્સના 2 લાખ રૂપિયા જમા થયા જેની વાત કનુભાઈએ ધીરુભાઈને જણાવતા મોરબીના બીમલભાઈ વાત કરતા જાણ થઈ કે તેમના જ રૂપિયા છે જે અશ્વિનભાઈ એ પ્રમાણિકતા દાખવી બિમલભાઈને આજ રોજ 2 લાખ સુપરત કર્યા હતા.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...