મોરબી : હાલ મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભૂલથી બે લાખ બીજાના ખાતામાં જમા કરી દીધા હતા. સામે સુરેન્દ્રનગરના વેપારીના ખાતામાં અચાનક બે લાખ જમા થઈ ગયા બાદ તેઓએ પ્રમાણિકતા દાખવી બે લાખ જમા કરાવનાર મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની ઓળખ મેળવી તેમને તેમના પૈસા સુપ્રત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે.
મોરબીના શિવાય રોડલાઇન્સ કુ. નામના ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા બિમલ પટેલે તા.4 ના રોજ 2 લાખ રૂપિયા ભૂલથી સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના અશ્વિનભાઈ શેખાભાઈ કલોત્રાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. અશ્વિનભાઈ બીમાલભાઈને ઓળખતા ન હોવા છતાં પોતાના વ્યવસાયના સાથી કનુભાઈ પાલનપુરવાળાને જાણ કરી કે મારા ખાતામાં કોઈ શિવાય રોડલાઇન્સના 2 લાખ રૂપિયા જમા થયા જેની વાત કનુભાઈએ ધીરુભાઈને જણાવતા મોરબીના બીમલભાઈ વાત કરતા જાણ થઈ કે તેમના જ રૂપિયા છે જે અશ્વિનભાઈ એ પ્રમાણિકતા દાખવી બિમલભાઈને આજ રોજ 2 લાખ સુપરત કર્યા હતા.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...