મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર (નદી) ગામમાં અમાની પોલીપેક કારખાનાની લેબર કોલોનીની ઓરડીમા રહેતી અને મૂળ એમપીના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાલીડા ગામની વતની ભુરીબેન ભુરૂભાઇ ઉર્ફે મગનભાઇ અનારેએ ગઈકાલે તા. 27ના રોજ પોલેબર કોલોનીની ઓરડીમાં છતના હુકમા ચુદડી વીટાળી ગળેફાસો ખાઈ લીધો હતો. ભુરીબેનને વતનમા જવુ હતું. જેથી, અવારનવાર પોતાના પિતાને ફોન કરી તેડવા આવવાનુ કહેતી હતી. પરંતુ પોતાના પિતા તેડવા આવેલ નહિ. જેથી, લાગી આવતા આવેશમા આવી ભુરીબેને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...
મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...
ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે...