મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું

0
133
/

મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

જોધપર (નદી) ગામમાં અમાની પોલીપેક કારખાનાની લેબર કોલોનીની ઓરડીમા રહેતી અને મૂળ એમપીના ધાર જિલ્લાના કુકશી તાલુકાના જાલીડા ગામની વતની ભુરીબેન ભુરૂભાઇ ઉર્ફે મગનભાઇ અનારેએ ગઈકાલે તા. 27ના રોજ પોલેબર કોલોનીની ઓરડીમાં છતના હુકમા ચુદડી વીટાળી ગળેફાસો ખાઈ લીધો હતો. ભુરીબેનને વતનમા જવુ હતું. જેથી, અવારનવાર પોતાના પિતાને ફોન કરી તેડવા આવવાનુ કહેતી હતી. પરંતુ પોતાના પિતા તેડવા આવેલ નહિ. જેથી, લાગી આવતા આવેશમા આવી ભુરીબેને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/