ઘાંચી શેરીમાં થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

0
498
/

મોરબી: તાજેતરમા મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દઈને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવમાં પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ઘાંચી શેરીના રહેવાસી અનીશ રફીકભાઈ પીઠડીયાને ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપી જાબીર સીદીક પીલુડીયા સાથે બોલાચાલી થઇ હતી જે બનાવમાં આરોપી જાબીર પીલુડીયાએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીંકી મોત નીપજાવી આરોપી નાસી ગયો હતો જે બનાવ મામલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, એલસીબી અને એસઓજી ટીમે તપાસ ચલાવી હતી હત્યાનો ગુન્હો નોંધી હત્યાના બનાવની તપાસ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલને સોપવામાં આવી હોય જેમાં પોલીસ ટીમે આરોપીને રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો શનાળા ગામ રાજપર ચોકડી પાસેથી આરોપી નાસી જવાની ફિરાકમાં હોય દરમીયાન આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/