ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના પરિજનોને લાખેણી સહાય આપતા મોરબીના આગ્રણીઓ

0
43
/

અગ્રણી ઉદ્યોગપતિ અજય લોરિયા દ્વારા એક-એક લાખ અને સીરામીક એસો. દ્વારા પ્રત્યેક પરિવારને 3.80 લાખની સહાય અર્પણ કરી 

મોરબી : તાજેતરમા પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં બિહાર રેજીમેન્ટના 20 જવાનો શહીદ થતા વીર શહીદ પરિવારજનોને મદદરૂપ થવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સીરામીક એસો. દ્વારા હૈદરાબાદ ખાતે રોકડ સહાય અર્પણ કરવામાં આવી હતી.

લદ્દાખ સરહદે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જાન્યુઆરી માસમાં ગલવાન સરહદે ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થતા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા હૈદરાબાદ ખાતે બિહાર રેજિમેન્ટ ડે ના ઉપલક્ષમાં ગલવાન ઘાટીમાં શહીદ થયેલા બિહાર રેજીમેન્ટના 12 જવાનોના પરિવારજનોને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ તકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અજયભાઇ લોરિયા દ્વારા નવ પરિવારોને એક-એક લાખ રોકડ સહાય અર્પણ કરી હતી તેમજ મોરબી સીરામીક એસોશિએશન દ્વારા 12 શહીદ પરિવારોને પ્રત્યેકને રૂ.3.80 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અજયભાઇ લોરિયા, નરેન્દ્રભાઈ સંઘાત, દીપેશ દલસાણીયા, પરેશ ઘોડાસરા, ફેનીલ લોરિયા, મહેશ ભોરણીયા, દિવ્યકાંત પડસુમ્બીયા અને હરભુદાન ગઢવી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/