મોરબી બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ ઝુંપડાઓ હટાવાયા

0
105
/

મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર રોડની કામગીરી માટેના નડતરરૂપ કાચા ઝુંપડા હટાવી દેવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને આ ડીમોલેશનની કામગીરી કરી હતી અને રોડની કામગીરી માટે અવરોધરૂપ 8 જેટલા કાચા ઝુંપડાને જેસીબીથી દુર કરવામાં આવ્યા હતા.

મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા બાયપાસ પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ઓવરબ્રિજની શરૂઆત શનાળા ગામ પછીથી થાય છે અને શનાળાથી ગોકુલનગર જવાના રસ્તે આઠ જેટલા કાચા ઝુંપડા બનાવવામાં આવ્યા હતા. આ સરકારી જમીન ઉપર કાચા ઝુંપડાના દબાણો ખડકાયા હોય ત્યાં રોડની કામગીરી માટે આ દબાણો નડતરરૂપ હોવાથી આજે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને જેસીબી દ્વારા ડીમોલેશન કરીને 8 કાચા ઝુંપડાને હટાવી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા માર્ગો ઉપર પાકા દબાણો થઈ ગયા છે. પણ આ પાકા દબાણોને દૂર કરવામાં તંત્રના હાથ ટૂંકા પડે છે. જો કે કોઈપણ દબાણો ગેરકાયદે હોય એ દૂર થવા જ જોઈએ. ભલે સામાન્ય વર્ગ કે તવંગરનું દબાણ હોય પણ કાયદા માટે બધા એક સમાન હોય છે. પણ તંત્ર માત્ર સામાન્ય લોકોના જ દબાણો દૂર કરીને કામગીરી કર્યાનો ઓડકાર ખાઈ છે. ત્યારે રોડ ઉપર રહેલા પાકા દબાણો ક્યારે દૂર થશે તે મોટો પ્રશ્ન છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/