મોરબી શહેરમાં કર્ફ્યુ ભંગ કરતા પાંચ સામે ગુન્હો દાખલ થયો

0
107
/

મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

મોરબી શહેરમાંથી રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુ ભંગ કરી હરતા-ફરતા 5 શખ્સોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી શહેર એ. ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારના પંચાસર રોડ પરથી દિનેશ ઘેલાભાઈ રાઠોડ તથા દિવ્યેશ નરેશભાઈ કાવરને કર્ફ્યુ દરમ્યાન જાહેરમાં કોઈ ખાસ કામ વગર રખડતા અટકાવ્યા હતા. જયારે બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેર સિનેમા રહેતા અવિનાશ મનોજભાઈ સાયા અને રાહુલ મનોજભાઈ સાયા તથા જુના ઘુંટુરોડ પર રહેતા રવિ હરજીભાઇ સોલંકીને માળીયા ફાટક પાસેથી કર્ફ્યુ ભંગ કરતા ઝડપી પાડી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/