મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે ગુન્હો નોંધી કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં 26 વર્ષીય વિજય નાગજીભાઈ રહે. વીશીપરાને, 26 વર્ષીય મયુર રમેશભાઈ ડઢૈયા રહે. વીશીપરાને, 19 વર્ષીય મોસીન હામીદભાઈ કટીયા રહે. ત્રાજપર વાળાને માળીયા ફાટક પાસેથી કોઈ ખાસ કામ વગર કર્ફ્યુની સમય મર્યાદામાં નીકળતા કલમ 188 હેઠળ ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભરવામાં આવેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી: મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ફરીથી ઉપલબ્ધ કરાવવા મોરબી ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો...
મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી...
અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર...