મોરબી : યદુનંદન સોસાયટીમાં મહિલાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી

0
194
/

મોરબી : તાજેતરમા મોરબીમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ચંદ્રેશનગર પાછળ યદુનંદન-૧૯ શેરી નંબર ૧ ખોડીયાલ પાન પાસે રહેતા પ્રભાબેન મનસુખભાઇ કાવર (ઉ.વ.૫૨) નામના મહિલાએ ગઈકાલે તા.૪ ના રોજ પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાસો ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/