કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તેવું આયોજન કરવા પગલાં લેવાશે
મોરબી : કોરોના મહામારી માં મોરબી જિલ્લાના કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે તાકીદની બેઠકનું આયોજન કર્યું છે.
કોરોના મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ – મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ તારીખ 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે મોરબી જિલ્લાના નાગરિકો અને કોરોનાના દર્દીઓને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કર્યું છે અને કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આ બેઠકમાં યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે તેમ સાંસદ દ્વારા જણાવાયું છે.
Morbina-MP-Vinod-Chavad
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...