કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તેવું આયોજન કરવા પગલાં લેવાશે
મોરબી : કોરોના મહામારી માં મોરબી જિલ્લાના કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે તાકીદની બેઠકનું આયોજન કર્યું છે.
કોરોના મહામારીએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ – મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આજરોજ તારીખ 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે મોરબી જિલ્લાના નાગરિકો અને કોરોનાના દર્દીઓને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે તે માટે આ બેઠકનું આયોજન કર્યું છે અને કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આ બેઠકમાં યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે તેમ સાંસદ દ્વારા જણાવાયું છે.
Morbina-MP-Vinod-Chavad
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...