મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસમાં આગની ઘટના

0
968
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે બપોરે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આજે બપોરે અચાનક એક વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ બસ આખી સળગી ગઈ હતી. ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસની નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.

મોરબીના નવા બસ સ્ટેન્ડ અંદર આવેલ સર્વિસ સ્ટેશનમાં રહેલી જી.જે. 07 વાય ઝેડ 7174 નંબરની મોરબી નાથદ્વારા રૂટની બે માળની વોલ્વો બસમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ બસ સર્વિસ સ્ટેશનમાં હોવાથી બસમાં ડ્રાઈવર સિવાય કોઈ ન હતું. એટલે ડ્રાઈવર પણ બસમાંથી હેમખેમ નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી. આ વોલ્વો બસ ભડભડ સળગી ઉઠતા આખી બસ બલીને ભસ્મીભૂત થઈ હતી. સર્વિસ સ્ટેશને પણ આગથી નુકશાની થઈ છે. જો કે ફાયર બ્રિગ્રેડે તાકીદે દોડી જઈને બસમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે અહીંથી બસ સ્ટેન્ડનો પેટ્રોલપંપ નજીક જ હોવાથી વહેલી તકે આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના પણ ટળી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/