મોરબીના ગાળા ગામ પાસેનું પુલીયું તૂટ્યું, લોકોના જીવ ઉપર તોળાતું જોખમ

0
132
/
ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે ભોપાળુ છતું થયું

મોરબી : હાલ મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે આ પુલિયુ તૂટી ગયું હતું. એકદમ સાંકડું રહેલું બાઈક ચાલકો પુલિયાની નીચે પડી જાય તેવી ગંભીર હાલત થઈ ગઈ છે. આ પુલિયાની ભયજનક હાલત થતા વાહન ચાલકો ઉપર મોત ઝળુંબી રહ્યું છે.

મોરબીના ગાળા ગામ પાસે નદી ઉપર બંધાયેલું પુળીયું ઘણા સમયથી ભયજનક હાલતમાં છે. આ પુલિયુ એકદમ સાંકડું છે. ઉપરથી પુલીયું લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. તેમ છતાં આ પુલિયાને રિપેરીગ કરવાની જવાબદાર તંત્રએ કોઈ તસ્દી ન લેતા આજે ભોપાળુ બહાર આવ્યું હતું.જેમાં આ પુલીયું તૂટી ગયું છે. પુલિયા નીચે મોટું બોકરું પડી ગયું છે. એના ઉપર બાઈક ચાલકો પસાર થાય તો તુરંત જ નીચે ખાબકે તેવી હાલત છે. આથી હવે આ પુલિયા ઉપર અવરજવર કરવી એટલે સામે ચાલીને મોતને આમંત્રણ આપવા બરોબર છે. આથી તંત્ર ઝડપથી નવો પુલ બનાવવાની કામગીરી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/