ટંકારા : હાલ ટંકારાના નસીતપર ગામે થોડા દિવસો પહેલા ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની.તપાસ દરમિયાન આ પરિણીતા મૈત્રીકરાર કરનાર સાથે મળી આવ્યા બાદ તેણીએ પોલીસ સમક્ષ મૈત્રીકરાર કરનાર સાથે રહેવા માંગતી હોવાનું નિવેદન આપ્યું હતું.
આ બનાબની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ સૈજા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા.૮ સવારના દસ વાગ્યના અરસામા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ બનાવની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સઘન તપાસ ચલાવતા મોરબીના શનાળા રોડ મોટેશ્વર મહાદેવ મંદિર પાછળ જોધાણીની વાડી વિસ્તાર દેવરામભાઇ વિરજીભાઇ ચાવડાના રહેણાંક મકાનેથી આ ગુમ થયેલી પરિણીતા મળી આવી હતી અને તેણીએ પોલીસ સમક્ષ પરિણીતાને દેવરામભાઇ વીરજીભાઇ ચાવડા જાતે સતવારા રહે.મોરબી વાળા સાથે મૈત્રી કરાર હોય અને તેની સાથે જ રહેવા માંગતા હોય તેવું નિવેદન પણ નોંધાવ્યું હતું.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
હરબટીયાળી...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...