ટંકારાના નસીતપરની પરિણીતા પતિને છોડી મિત્ર સાથે રહેવા લાગી !!

0
374
/

ટંકારા : હાલ ટંકારાના નસીતપર ગામે થોડા દિવસો પહેલા ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની.તપાસ દરમિયાન આ પરિણીતા મૈત્રીકરાર કરનાર સાથે મળી આવ્યા બાદ તેણીએ પોલીસ સમક્ષ મૈત્રીકરાર કરનાર સાથે રહેવા માંગતી હોવાનું નિવેદન આપ્યું હતું.

આ બનાબની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ સૈજા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા.૮ સવારના દસ વાગ્યના અરસામા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ બનાવની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સઘન તપાસ ચલાવતા મોરબીના શનાળા રોડ મોટેશ્વર મહાદેવ મંદિર પાછળ જોધાણીની વાડી વિસ્તાર દેવરામભાઇ વિરજીભાઇ ચાવડાના રહેણાંક મકાનેથી આ ગુમ થયેલી પરિણીતા મળી આવી હતી અને તેણીએ પોલીસ સમક્ષ પરિણીતાને દેવરામભાઇ વીરજીભાઇ ચાવડા જાતે સતવારા રહે.મોરબી વાળા સાથે મૈત્રી કરાર હોય અને તેની સાથે જ રહેવા માંગતા હોય તેવું નિવેદન પણ નોંધાવ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/