વાંકાનેર શહેર તાલુકા ભાજપ દ્વારા શ્રીરામ મંદિરના શિલાન્યાસના અવસર પર ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી મો મીઠા કર્યા

0
87
/
(તસ્વીર: મુકેશ પંડ્યા-વાંકાનેર)

વાંકાનેર: શહેર ભાજપ દ્વારા માર્કેટ ચોક ખાતે જય શ્રી રામ ના ગગનભેદી નારા લગાવી ડી.જે. તાલે ધોધમાર વરસાદમાં પણ રામભક્તિ માં ભક્તો લીન બની દીપ પ્રગટાવી આરતી ઉતારી હતી
આજે 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં શિલાન્યાસના અવસર પર સમગ્ર ભારતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં પણ શહેર ભાજપ દ્વારા આતશબાજી કરી એક-બીજાના મો મીઠા કરાવ્યા હતા જેમાં સમગ્ર માર્કેટ ચોક જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યો હતો તેમજ સમગ્ર ચોકને કેસરિયા ભગવાથી શણગાર્યો હતો.
આ ધાર્મિક કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, નગરપાલિકા ઉપ પ્રમુખ જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ઇન્દુભા જાડેજા,શહેર ઉપ-પ્રમુખ ગૌતમભાઈ ખાંડેખા, મેરુભાઇ સરૈયા, રાજ સોમાણી, અમિત સેજપાલ, તેમજ કાર્યકરો હાજર રહયા હતા તાલુકા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન શ્રી રામ મંદિર નાં શીલાયાંસ અવસર ને વધાવવામાં આવેલ અને ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી મો મીઠા કર્યા હતા. આ પ્રસંગે હીરાભાઈ ભરવાડ, અમરસિંહ ભાઈ મઢવી , મનુભા રાણા સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/