વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત

59
238
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો મનીષભાઈ અરવિંદભાઈ હળવદિયા ઉ.વ.22 નામનો યુવાન ગઈકાલે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આવેલી નદીમાં નહાવા પડ્યો હતો.પરંતુ આ યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.આ કરુણ બનાવથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.