મોરબીમાં જેઠ-જેઠાણીએ દેરાણીને માર મારતા મામલો પોલીસ સુધી પહોંચ્યો

0
151
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબીમાં મકાન બાબતે જેઠ-જેઠાણીએ દેરાણીને માર મારતા ઘરનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક પાસેના લાયન્સનગર વિસ્તારમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ મહંતોને તેમના મોટાભાઈ સાથે મકાન બાબતે ઝઘડો ચાલે છે. તેથી, ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ જેઠ-જેઠાણીએ એકસંપ કરીને મુકેશભાઈના પત્ની આરતીબેન (ઉ.વ. 25)ને માર માર્યો હતો. આ બનાવમાં આરતીબેનને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/