મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા

0
181
/

મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે

રાજુભાઈ  ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી બન્યા છે. અને રાજુભાઇ પટેલનો અભ્યાસ કેમિકલ એન્જીન્યરિંગ સુધીમો છે સાથે સાથ ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે હાલ એડએન હિલના ચેરમેન, ફીઆ સિરામિકના ચેરમેન, સોરીસો સિરામિકમા માલિક અને મેનેજીંગ ડીરેકટર તેમજ ફેઇસ સિરામિકના માજી ચેરમેન છે ત્યારે હાલ તેઓ આમ આદમી પાર્ટી મોરબીની ટીમમાં સલાહકાર સમિતિના મેમ્બર બનેલ છે. જેઓનું આમ આદમી પાર્ટી મોરબી આવકાર અને અભિવાદન કરે છે. મોરબીની જનતાને સારી સુવિધાઓ અપાવવા આગામી મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં સ્વચ્છ છબી અને શિક્ષત યુવાનોને આમ આદમી પાર્ટી ચૂંટણી લડાવશે તે માટે મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવા માંગતા મિત્રોને 90998 76777 ઉપર સંપર્ક કરવા માટે કહ્યુ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/