માર્ગ-મકાન વિભાગના મંત્રી તથા પ્રભારી મંત્રી આગામી તા. 12 અને 13મીએ મોરબીમાં

0
80
/

ટંકારામાં બસ સ્ટેશનનું લોકાર્પણ અને મોરબીમાં ઓવરબ્રિજના ખાતમૂહુર્તમાં હાજરી આપશે

મોરબી : હાલ રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદી તથા પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ તા.૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.આગામી તા.૧૨ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ટંકારાના એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.તા.૧૩ના રોજ સવારે ૧૧ કલાકે મોરબીના મહેન્દ્ર ચોકડીના ઓવરબ્રિજના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/