મોરબી: માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત

0
70
/

માળીયા (મી.) : તાજેતરમા માળીયાના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.16) નામની સગીરા ગત તા.28 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

આથી, સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/