મોરબીના નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકોને હાલાકી

0
80
/

મોરબી : મોરબી શહેરમાં આવેલા નિરવ પાર્કમાં ઉભરાતી ગટરોથી રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. આથી, ગટરનું રીપેરીંગ કરી આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મોરબીમાં પંચાસર રોડ પર આવેલા નિરવ પાર્કમાં 4-5 દિવસોથી સતત ભૂગર્ભ ગટર ઉભરાય છે. જેના લીધે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. અને રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, લોકોના ઘર પાસે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતા આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ત્યારે તંત્ર દ્વારા ગટરને સાફ કરી અને જરૂર હોય તો ગટરનું સમારકામ કરાવી તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/