ટંકારામાં બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

0
223
/

હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી

ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા પ્રવીણભાઈ નાથાભાઈ હાપલીયા ઉ.52 નામના આધેડે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર અને કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી પોતાના કૌટુંબિક સગાના વરંડામાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/