મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

0
145
/

મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની ભવ્ય કથામાં બરોબરનો ભક્તિભાવનો માહોલ જામી રહ્યો છે ત્યારે આજે તા. 18 ના રોજ રાત્રે 9.00 કલાકે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સુપ્રસિદ્ધ ભજનિક જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર પ્રકાશભાઈ જાદવ, અને ગાયક બાળ કલાકાર ભક્તિબેન દવે સહિતના કલાકારો પોતાના સુર રેલાવી ભગવાનના ગુણગાન ગાશે તો ભક્તિભાવ ભર્યા કાર્યક્રમમાં પધારવા મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/