મોરબીની નવયુગ સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાની હડફેટે

0
169
/
ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું

મોરબી : હાલ મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં હવે આ નવયુગ સ્કૂલના વધુ બે વિધાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું છે.

મોરબી જિલ્લામાં કોરોનાએ હવે ફરીથી ઉત્પાત મચાવ્યો છે અને હમણાંથી દરરોજ કોરોનાના કેસો ઝડપભેર વધી રહ્યા છે.ખાસ કરીને સ્કૂલોમાં કોરોનાનો પગપેસારો થતા શિક્ષણ આલમ અને વાલીગણ ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમાં કોરોનાએ નવયુગ અને નાલંદા વિદ્યાલયને ઝપટમાં લીધી હતી.દરમિયાન ગઈકાલે રવિવારે મોરબી જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. તેમાંથી બે કેસ મોરબીની નવયુગ વિદ્યાલયના હોવાનું ખુલ્યું છે. નવયુગ વિદ્યાલયના વધુ બે વિદ્યાર્થીઓને કોરોનાએ શિકાર બનાવતા આ સ્કૂલમાં ફફડાટ મચી ગયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/