મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ

0
58
/

જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 79 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 631 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1390 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 79 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 138 દર્દીઓ રિકવર પણ થયા છે.

બીજી તરફ મોરબી શહેરી વિસ્તારના રહેવાસી 85 વર્ષના વૃધ્ધાનુ કોરોનાના લીધે મરણ નોંધાયેલ છે. કોરોનાની સાથે તેઓને કિડનીની બીમારીઓ હતી. વધુમાં તેમણે કોરોના રસીનો એક પણ ડોઝ લીધેલ હતો નહિ. તેવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/