મોરબી આજે હાલ અપમૃત્યુનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટમા નેપાળી પરિવારના બે વર્ષનો બાળક રમતા રમતા પાણી ની ટાંકીમાં પડી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને નેપાળી પરિવાર પર આભ ફાંટી પડ્યું છે.
અપમૃત્યુના કેસની પ્રાથમિક વિગત અનુસાર શહેરના દાઉદી પ્લોટમાં આવેલ રાષ્ટ્રીય શાળા વાળી શેરી પાસેના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારના 2 વર્ષ ના માસૂમ બાળક નિશાંત પ્રિયેન્દ્ર સોની પાણીના ટાંકા નજીક રમી રહ્યો હતો આ દરમિયાન એકાએક કોઈ કારણસર પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું કરુંણ મોત થયું હતું.[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...
મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...