મોરબીના સિપાઈવાસમાં નોનવેજના ધંધાર્થી પિતા – પુત્ર ઉપર હીંચકારો હુમલો

0
221
/

નોનવેજ જમવા આવેલા ચારથી પાંચ શખસોનું કૃત્ય : પાઇપ વડે હુમલો કરી લારીમાં કરી તોડફોડ : ઘાયલ પિતા – પુત્ર ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં

બાદમાં આટલેથી જ નહીં અટકેલા શખસો પૈકીના એક શખ્સે પોતાની પાસેથી લાંબો પાઇપ કાઢી પહેલા ઈંડાની લારીમાં તોડફોડ કરી તવો ઊલાળી ફેંક્યો હતો અને બાદમાં ઇંડાની લારીના સંચાલક પિતા – પુત્ર ઉપર તૂટી પડતા ગંભીર રીતે ઘાયલ પિતા – પુત્રને સારવાર માટે ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

વધુમાં બનાવ અંગે જાણ થતા જ એલસીબી, એસઓજી સહિતનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો છે અને હીંચકારા હુમલા અંગે ફરિયાદ.નોંધવા તથા બનાવનું સાચું કારણ શોધવા તપાસ શરૂ કરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/