ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ
મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય રૂટો જ કેન્સલ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
મોરબીના એસ ટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ ઉપરથી આવેલા આદેશ મુજબ મોરબી એસટી ડેપોની 21 બસોને આજે જામનગરમાં પીએમ મોદીના યોજાયેલા કાર્યક્રમ માટે ફાળવી દીધી હતી. જોકે આ તમામ બસો મોરબીના જુદાં જુદાં ગ્રામ્ય વિસ્તારોના રૂટની છે. મોરબી એસટી ડેપોમાં કુલ 54 બસો છે .આ બસો વિકસિત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ઘણી ઓછી પડે છે. ત્યારે તેમથી 21 જેટલી બસો ફાળવી દેવાથી મુસાફરોની માઠી દશા થઈ ગઈ છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા અનેક છાત્રો આજે રૂટો કેન્સલ થવાથી રઝળી પડ્યા હતા.બીજીતરફ ખાનગી વાહન ચાલકો મનમાની ચલાવી મનફાવે તેવા મુસાફરીના ભાવો વસુલ કરતા અનેક મુસાફરો લૂંટાયા હતા.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

Comments are closed.