મોરબીના લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક ગટર બુરાણના કામમાં બેદરકારીને લીધે પાણી ઉભરાતા હાલાકી

0
84
/

મોરબી : તાજેતરમા મોરબીમાં લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક મેઈન રોડ પર ગટરના પાણી રસ્તા પર આવી જતા કાદવ-કીચડ થાય છે. જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અગાઉ તંત્રએ પાણીની પાઇપલાઈન નાખવા માટે ગટર ખોદી હતી. ત્યારે ગટરને બુરવામાં કચાશ રહી ગઈ છે. જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. હજુ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. ત્યારે તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી માંગણી ઉઠી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/