મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ

0
0
/

મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે

નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે રજૂઆત કરી જણાવ્યું છે કે બુઢાબાવાની લેનના વેપારીઓ ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવવાથી પરેશાન છે ગટર અને કચરાની સમસ્યા હોય જે અંગે અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી બુઢાંબાવાની લેનમાં દરબારગઢની પાલી અમારી શેરીમાં આવતી હોય અને વરસાદ સમયે દુકાનોમાં પાણી આવી જતું હોય છે જેથી તાત્કાલિક બુઢા બાવાની લેનમાં આવેલ નાલાની સફાઈ કરવામાં આવે તે જરૂરી છે જેથી તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માંગ કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/